Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

વાંકાનેરના ભોજપરામાં ખોડિયાર આશ્રમ ગૌશાળામાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા, હોમ હવન, સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રોમનું આયોજન

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર,તા. ૬ : વાંકાનેર નજીક સરકારી નર્સરી પાસે લુણસર રોડ પર આવેલ ભોજપરા ખાતે આવેલ ખોડિયાર આશ્રમ ગૌશાળા ખાતે મહાદેવજી, ખોડિયાર માતાજી તથા ગુરૂ દત્ત્।ાત્રેય ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન આગામી તા ૨૧ જાન્યુઆરી થી તા. ૨૩ જાન્યુઆરી સુધી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પ્રાણપ્રતિષ્ઠા દર્શન, મહાપ્રસાદ તેમજ સંતવાણીના કાર્યક્રમો યોજાશે.

ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે તા. ૨૧ ને શુક્રવારના રોજ હેમાદ્વી શ્રવણ, દેહશુદ્ઘિ ગણેશ સ્થાપના, પુન્યાહ વાંચન માતૃકા પુજન, નાંદી શ્રાદ્ઘ, અગ્નિ સ્થાપન, ગૃહ સ્થાપન, વાસ્તુ આદિ દેવોનું આહવાન સ્થાપન, હોમ જલાધિવાસ, નગર શોભાયાત્રા, ધાન્યાધિવાસ, સાયં પુજન આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદ પર શાસ્ત્રી વિજયભાઈ એ. મથ્થર જામનગરવાળા બિરાજશે અને વધુ માહિતી માટે મહંત આનંદગીરી મો. ૯૦૯૯૫ ૪૭૬૦૨, મહંત મનુગીરી મો. ૮૩૪૭૮ ૯૦૭૫૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

(10:45 am IST)