Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

જોડિયા લોહાણા મહાજન દ્વારા પૂ. ધરમલાલબાપાની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો

વાંકાનેર, તા. ૬:. જોડીયાધામમાં પૂ. ધરમલાલની (૨૨૧મી) જન્મ જયંતિ ઉંજવાઈ રહી છે.
આજે બપોરના ૩.૦૦ થી ૪.૦૦ દરમ્યાન શ્રી ધરમલાલ મંદિર ખાતે પ.પૂ. સંતશ્રી ધરમલાલબાપાનું શાસ્ત્રોકત વિધિ અનુસાર સેવા-પૂજા ભાવિકો દ્વારા કરવામાં આવશે. તેમજ પૂ.શ્રી ધરમલાલબાપાના પાવન સાનિધ્યમાં આ દિવ્ય તપોભૂમિમાં સાંજના ૪.૦૦ થી ૬.૩૦ કલાક સુધી સૌ ભાવિક-ભકતજનો દ્વારા સામુહિકમાં ‘સંગીતમય સુંદરકાંડ’ના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન-સંકિર્તન કરવામાં આવશે. ત્યારબાદ શ્રી લોહાણા મહાજનવાડી ખાતે આવેલ પ.પૂ. સંત શિરોમણી શ્રી જલારામબાપાનું પૂજન-અર્ચન વિધિ તેમજ પૂ. જલારામબાપાના દિવ્ય ‘દિપમાળા સાથે મહાઆરતી’ સાંજે ૭.૦૦ કરવામાં આવશે. ત્યાર બાદ પૂ. સંત શ્રી ધરમલાલબાપાની જન્મ જયંતિનોે લોહાણા જ્ઞાતિનો સમૂહ ભોજન - મહાપ્રસાદ રાખેલ છે. મહાપ્રસાદનો લાભ લેવા શ્રી લોહાણા મહાજનના પ્રમુખ પંકજભાઈ એમ. રાયમગીયા, ઉંપપ્રમુખ નરેન્દ્રભાઈ ચંદારાણા અને મંત્રી ભરતભાઈ એમ. ગણાત્રા તેમજ હીતેશ રાચ્છની યાદીમાં જણાવાયુ છે.

 

(12:58 pm IST)