Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સાળંગપુરમાં ૮મીએ દાદાના નિજ મંદિરમાં શણગાર દર્શન

વાંકાનેર,તા. ૬: સાળંગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે ગઈકાલે રાત્રે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવ્યા હતા શનિવારના રોજ પવિત્ર ધનુર્માસ નિમિત્ત્।ે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને દિવ્ય ભવ્ય શણગાર દર્શન રાખેલ છે જે સવારે મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે થશે અને દિવ્ય શણગાર આરતી સવારે સાત કલાકે પ.પુ. શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી (અથાણાવાળા) તથા કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, પૂજારી સ્વામીશ્રી ડી.કે.સ્વામીજી દ્વારા કરવામાં આવશે આખો માસ શ્રી હનુમાન ચાલીસા નો હોમાત્મક યજ્ઞ એવમ વિશ્વ કલ્યાણ અર્થે ચાલી રહેલ છે જે યજ્ઞ સવારે ૮ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ યોજાય રહેલ છે હજારો ભાવિક ભકતજનો દાદાના દર્શન કરીને શ્રી હનુમાન ચાલીસા ના યજ્ઞના દર્શનનો લાભ લઈ રહયા છે જે દાદાના ભકતજન હિતેશ રાચ્છની યાદીમા જણાવાયું છે.

(10:14 am IST)