Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કોડીનાર કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારને ૪ લાખનું વળતર આપવા માંગ

 કોડીનારઃ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી કોરોના માં મૃત્યુ પામનાર દરેક ને રૂ. ૪ લાખ નું વળતર ચૂકવવા માંગ કરી હતી. એક તરફ એરોપ્લેન અને હેલિકોપ્ટર ખરીદવા અને બીજા અનેક તાયફાઓમાં કરોડો રૂ.વેડફી રહી છે ત્યારે કોરોનાના કપરા સમય માં કોરોના થી મૃત્યુ પામનાર પરીવાર જનો ને રૂપિયા ૪ લાખ નું વળતર આપવા માંગ કરી હતી.આ તકે ધારાસભ્ય મોહનભાઇ વાળા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશીકભાઈ ઉપાધ્યાય, તાલુકા પંચાયત સદસ્ય રણજીતસિંહ રાઠોડ, અશ્વિનભાઈ ચુડાસમા, નગરપાલિકા સદસ્ય રમેશભાઈ ચુડાસમા, ભરતભાઈ કાતિરા, મહેશભાઈ કામળિયા, શહેર કોંગ્રેસ અનુ.જાતિ ના પ્રમુખ હિમતભાઈ વાઢેળ, તેમજ રાયસિંહભાઈ ઝણકાટ, શૈલેષભાઈ વાદ્યેલા, સુરપાલસિંહ બારડ, રણજીતસિંહ પરમાર વિગેરે કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:13 am IST)