Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પૂ.હરીચરણદાસજી મહારાજની તબિયતમાં સુધારોઃ સવારે પ્રસાદ લીધો

રાજકોટ, તા., પઃ પૂ. સદગુરૂ શ્રી હરીચરણદાસજી મહારાજની ગઇકાલથી તબિયત બગડતા ગોરા હરીધામ આશ્રમ ખાતે આઇસીયુ ઉંભુ કરીને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
ગોંડલની શ્રીરામ હોસ્પીટલના ડો.ભટ્ટ તથા મેડીકલ ટીમ હાલમાં પૂ.હરીચરણદાસજી મહારાજની તબિયતમાં સુધારો થાય તે માટે મેડીકલ ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે.
આજે પૂ. હરીચરણદાસજી મહારાજની તબિયતમાં સુધારો થયો છે અને પૂ. હરીચરણદાસજી મહારાજે સવારે પ્રસાદ પણ લીધો હતો તેમ કિશોરભાઇ ઉંનડકટે જણાવ્યું છે.

 

(11:13 am IST)