Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ઉમરાળીમાં લેઉવા પટેલ સમાજ ભવનનું લોકાર્પણ

રાજકોટઃ ઉમરાળી ખાતે બાવનજીભાઇ લાલજીભાઇ વિરડીયા એજયુ. ચેરી. ટ્રસ્ટ દ્વારા નિર્મળાબેન બાવનજીભાઇ વિરડીયા લેઉવા પટેલ સમાજ ભવનનો લોકાર્પણ સમારોહ તાજેતરમાં યોજાય ગયો. યુવા નેતા જયેશભાઇ રાદડીયા (કેબીનેટ મંત્રી ગુજરાત સરકાર) તથા મુખ્ય દાતાઓ પિયુષભાઇ વિરડીયા, શ્રીમતિ કાજલબેન વિરડીયા (યુએસએ), તેમજ દિલીપભાઇ મોહનભાઇ સાવલીયા અને અન્ય દાતાઓ તથા મુખ્ય મહેમાનો, ટ્રસ્ટી મંડળ, અતિથિ વિશેષ તેમજ આમંત્રીત મહેમાનો અને ઉમરાળી ગ્રામજનોની હાજરીમાં સમાજ ભવનનું લોકાર્પણ મુખ્ય દાતા પિયુષભાઇ વિરડીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. દાનની કદર રૂપે દાતાઓનું વિશિષ્ટ સન્માન કરાયુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા તેમજ ભવનનું નિર્માણ કરવામાં ટ્રસ્ટી મંડળ તથા બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કામમાં મંત્રી કાનજીભાઇ વિરડીયા અને તેમની ટીમ તથા સમાજની યુવા ટીમ સેવા આપી હતી.

(11:47 am IST)