Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ધોરાજીમાં ખેડૂત શિબિર

ધોરાજી : કડવા પાટીદાર સમાજ ખાતે શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી. રાજકોટ તથા ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લી.ના સંયુકત ઉપક્રમે ધોરાજી ખાતે ખેડૂત શિબિર યોજાઇ હતી. અધ્યક્ષસ્થાને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે તથા મગનભાઇ વડાવીયા તથા અગ્રણીઓ દ્વારા દિપપ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. સરકારી કર્મચારી દ્વારા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનુ સ્વાગત કરાયુ હતુ. જૂદા જૂદા સરકારી અગ્રણીઓ દ્વારા ખેતી અંગે માર્ગદર્શન પૂરા પાડવામાં આવેલ અને દૂધ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ ખેતીની સાથે પશુપાલન અંગે માહિતી આપી પશુપાલનના ફાયદા જણાવેલ હતા. અકસ્માતમાં મરણ થયેલ ખેડૂત ખાતેદારોના વારસદારોને વિમાના ચેક અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં દિપપ્રાગટય કરવામાં આવ્યુ તે તસ્વીર.

(11:28 am IST)