Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મોરબીમાં દારૂનો નશો કર્યા બાદ સળગેલા હુશેનનું મોત

યુવાનને ૩૦મીએ સારવાર માટે રાજકોટ ખસેડાયો'તો

રાજકોટ તા. ૪: મોરબીના ખાટકીવાસમાં રહેતાં હુશેન ગફારભાઇ કટારીયા (ઉ.૩૫) નામના યુવાને તા.૨૯ના સાંજે અગ્નિસ્નાન કરી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું આજે સવારે મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.હુશેન ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ અને કુંવારો હતો. તે મચ્છી-મટનનો ધંધો કરેી ગુજરાન ચલાવતો હતો. હુશેન સારવારમાં હતો ત્યારે તેણે જણાવ્યું હતું કે  તેને દારૂનો નશો કરવાની આદત હતી. નશો કર્યા બાદ તેણે કેરોસીન છાંટી કાંડી ચાંપી લીધી હતી. દરમિયાન આજે સવારે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે મોરબી પોલીસને જાણ કરી હતી.

(3:53 pm IST)