Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જુનાગઢમાં અશોક શિલાલેખ પાસેથી કુંડલાના વૃધ્ધ ભિક્ષુકની લાશ મળી

 જૂનાગઢ તા. ૪ :.. સોનાપુરી - સ્મશાન પાસે આવેલ અશોક શિલાલેખ નજીક અજાણ્યા વૃધ્ધ  ભિક્ષુકનો મૃતદેહ પડયો  હોવાની જાણ થતા ભવનાથ પોલીસે દોડી જઇને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પ્રાથમિક તપાસમાં મરનાર સારવ કુંડલાના ભુરાભાઇ રાણાભાઇ પરમાર (ઉ.૭પ) હોવાનું ખુલ્યું હતું.

મરનાર અશોક શિલાલેખ પાસે ભિક્ષુક જીવન જીવી રહ્યા હતા તેમનું મૃત્યુ કુદરતી હોવાનું પ્રાથમિક તબકકે જણાવ્યું હતું.

પોલીસે લાશનું પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(3:31 pm IST)