Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જેતપુરમાં ૧૦મીએ સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ પરિવાર દ્વારા સમૂહલગ્ન અને યજ્ઞોપવિતનું આયોજન

૧૦ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે : ૪ બટુકો જનોઈ ધારણ કરશે : કરિયાવરમાં દિકરીઓને ૮૦થી વધુ વસ્તુઓ અપાશે : વિઠ્ઠલભાઈ રાદડીયા - જયેશભાઈના હસ્તે ઉદ્દઘાટન

રાજકોટ, તા. ૪ : સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવકતા જયંત ઠાકર અને સમગ્ર મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષી, સમસ્ત ઔદિચ્ય બ્રહ્મપરિવારના ચીફ એડવાઈઝર પ્રવિણભાઈ સી. વ્યાસ, પ્રમુખ હર્ષદભાઈ રાવલ, ઉપપ્રમુખ હરેશભાઈ પંડ્યા, મંત્રી જીજ્ઞેશભાઈ બી. જોષી, પ્રોજેકટ ચેરમેન યોગેશભાઈ પંડ્યા, ગૌરાંગ પંડ્યાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે સમસ્ત ઔદિચ્ય બ્રહ્મપરિવાર - જેતપુર આયોજીત સમૂહલગ્ન તથા યજ્ઞોપવિત ઉત્સવનું તા.૧૦ ડિસેમ્બરના સોમવારના રોજ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર, જેતપુર મુકામે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૦ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. સાથે ૪ બટુકો પણ યજ્ઞોપવિત (જનોઈ) સંસ્કાર ધારણ કરશે. નવદંપતિઓને કુલ ૮૦ જાતની ઘર - વપરાશની ચીજ - વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. જેમાં કુલ અંદાજે ૪૦ દાતાઓ સહયોગ આપી રહ્યા છે. કરીયાવરમાં શ્રી મહાદેવજીનો ફોટો, વિદાયની અમૂલ્ય ભેટ, કાનની બુટી, સોનાની ચુંક, ચાંદીની માછલી, દિવાલ ઘડીયાલ, કબાટ, શેટી, ખુરશી નંગ - ૨, ટીપોય, ડબલ બેડ ગાદલુ, ઓશીકા નંગ - ૨ સહિત ઘરવપરાશ અને ફર્નીચરની અનેક ચીજ વસ્તુઓ આપવામાં આવશે.આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દઘાટક તરીકે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તેમજ મેયર બીનાબેન આચાર્ય, શાસ્ત્રીજી રમેશભાઈ કાંતિલાલ ઠાકર, બ્રહ્મ અગ્રણી - બોમ્બે, શ્રી ગં.સ્વ. દમયંતીબેન રમેશચંદ્ર વ્યાસ - કુંકાવાવ, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી શ્રી હરેશભાઈ જોષી, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, હરીઓમ આશ્રમ, જેતપુરના જોષીબાપા, રઘુવંશી સમાજ - જેતપુરના અગ્રણી વિજયભાઈ જીવરાજાની, તેમજ અતિથિ વિશેષ તરીકે પૂર્વ ધારાસભ્ય જશુમતીબેન કોરાટ, જેતપુર નગરપાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયસુખભાઈ ગુજરાતી, જેતપુર નગરપાલિકા કારોબારી ચેરમેન હંસાબેન પંડ્યા, વડીયા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મસમાજના ટ્રસ્ટી હસુભાઈ જોષી, જૂનાગઢ ઝાલાવાડી બ્રહ્મસમાજના પ્રમુખ મહેશભાઈ જોષી, અમરેલી બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, કુકાવાવના બ્રહ્મઅગ્રણી સીમાબેન વ્યાસ, માણાવદર બ્રહ્મસમાજના પ્રમુખ પંકજભાઈ જોષી, વડીયાના બ્રહ્મઅગ્રણી નિખિલભાઈ રાજયગુરૂ, ધોરાજીના બ્રહ્મઅગ્રણી હિંમતભાઈ ભટ્ટ, નવી સાંકળીના અગ્રણી ધર્મેશભાઈ રાજાણી, વાપીના બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ રાવલ, વડીયા બ્રહ્મસમાજના અશોકભાઈ વ્યાસ, અમરેલીના પરશુરામ સેનાના પ્રમુખ રશ્મીનભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ તા.૧૦-૧૨, સોમવારના મંડપરોપણ, ૫:૩૦ કલાકે જાન આગમન, ૧૦ કલાકે હસ્તમેળાપ, ૧૧ કલાકે આર્શીવચન, ૧૨ કલાકે ભોજન સમારંભ અને અંતમાં બપોર બાદ જાન વિદાય યોજાશે. આ સમગ્ર કાર્યક્રમને પ.પૂ. શ્રી કમલનાથજી બાપુ ગુરૂ શ્રી ગીતાનાથજી બાપુ, મહંત શ્રી ભીડભંજન મહાદેવ મંદિર, જેતપુર અને પ.પૂ. શ્રી નિલકંઠચરણદાસ સ્વામી કોઠારી સ્વામી શ્રી સ્વામીનારાયણ મંદિર ગાદીસ્થાન જેતપુર આર્શીવચન આપી આ શુભ કાર્યને દિપાવશે.

આ સમૂહલગ્નને લગતી વિશેષ માહિતી માટે મો. ૯૮૭૯૬ ૮૩૮૩૫ અને ૯૯૯૮૨ ૫૧૦૦૧ પર પ્રવિણભાઈ વ્યાસ, હર્ષદભાઈ રાવલ, યોગેશભાઈ પંડ્યા, ગૌરાંગ પંડ્યાનો સંપર્ક કરવા જણાવાયું છે. સમૂહલગ્ન તેમજ યજ્ઞોપવિત ભીડભંજન મહાદેવ મંદિર, જેતપુર ખાતે યોજાશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ પરિવારના પ્રમુખ હર્ષદભાઈ રાવલ, ચીફ એડવાઈઝર પ્રવિણભાઈ સી. વ્યાસ, ઉપપ્રમુખ હરેશભાઈ પંડ્યા, મંત્રી જીજ્ઞેશભાઈ બી. જોષી, પ્રોજેકટ ચેરમેન યોગેશભાઈ પંડ્યા, ગૌરાંગભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ઔદિચ્ય બ્રહ્મપરિવાર - જેતપુરની ટીમ તેમજ સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવકતા જયંત ઠાકર અને સમગ્ર મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષી, સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ પરિવારના પ્રમુખ હર્ષદભાઈ રાવલ, ચીફ એડવાઈઝર પ્રવિણભાઈ સી. વ્યાસ, ઉપપ્રમુખ હરેશભાઈ પંડ્યા, મંત્રી જીજ્ઞેશભાઈ બી. જોષી, પ્રોજેકટ ચેરમેન યોગેશભાઈ પંડ્યા, ગૌરાંગભાઈ પંડ્યા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૨)

(12:49 pm IST)