Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

તળાજાના માખણીયામાં મકાન માલિક જાગી જતા તસ્કરો સામાન મુકીને ભાગ્યા

ભાવનગર તા. ૪ : તળાજા નજીલ આવેલ માખણીયા ગામના જીતુભા દૈવતસિંહ વાળાના ઘરમાં રાત્રીના સમયે નિશાચર ઘૂસીને ઘરમાં રહેલ કબાટ સહિતની કિંમતી વસ્તુ ઓ મુકવાની જગ્યાના લોક ખોલી ચોરી કરવા માટે ફેંદી રહ્યો હતો. એજ સમયે જીતુભા જાગી જતા તેઓના કાન એ બાજુનારૂમ માં કોઈ હોવાનો અવાજ આવતા તે રૂમ તરફ દોડી ગયા હતા.

તસ્કર મકાન માલિકને જોય ભાગી છૂટ્યો હતો. મકાન માલિક એ રાત્રીના એકથીઙ્ગ સવા વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોવાનું અને તસ્કર એ લાલ કલરની જરસી પહેરી હોવાનું જણાવ્યું હતું.

માખનિયા ગામની ભરવાડ શેરીમાં પણ બે દિવસ પહેલા અજાણ્યા શખ્સો રાત્રીના સમયેઙ્ગ આટા ફેરાઙ્ગ મારતા હોવાનું જાણવા મળ્યું હતું.

(12:07 pm IST)