Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

દિકરાસમી દિકરીઓ... પિતાને કાંધ આપી અદા કર્યુ પિતૃઋણ

મોરબીના સેવાભાવી ઉદ્યોગપતિ અવચરભાઇ પટેલના અંગદાનથી બે જીંદગીને 'નવજીવન'

અંતિમ યાત્રામાં પિતાની અર્થીને કાંધ આપી સમાજમાં નવો રાહ ચીંધનાર અવચરભાઇ પટેલની પુત્રીઓ દર્શાય છે. (તસ્વીર - અહેવાલઃ પ્રવિણ વ્યાસ, મોરબી)

મોરબી તા. ૪ :..  અહીના જાણીતા ઉદ્યોગપતિએ પોતાના સમગ્ર જીવન કાળ દરમિયાન પંથકભરમાં સેવાની સુવાસ પ્રસરાવવા સાથે જ સેવાભાવનાને વધુ ઉજળી કરી બતાવવા પોતાના નિધન બાદ પણ બન્ને કીડનીઓ અને આંખનંુ દાન કરી બે મુરજાતી જીંદગીને નવજીવન આપ્યુ હતું. ત્રણ પુત્રીઓ જ હોવાથી અને બીજી બે પુત્રીઓ દતક લીધી હોવાથી પાંચેય પુત્રીઓએ જ પિતાની અર્થીને કાંધ આપી પિતૃઋણ અદા કર્યુ હતું.

લખધીરગઢના વતની અને મોરબીમાં શનાળા રોડ પરની પટેલ સોસાયટીમાં રહેતા ઓફસેટ, પેકેજીંગ અને સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા અવચરભાઇ ડાયાભાઇ પટેલ (ઉ.પ૯) બ્રેઇન સ્ટોક આવ્યા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા જયાં કોમામાં સરી પડયા બાદ  તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.  સદ્ગતની ઇચ્છા મુજબ પરિવાર દ્વારા બન્ને કીડની અને ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.

લખધીરગઢ ગામે અવચરભાઇ પટેલની સ્મશાન યાત્રામાં પુત્રી ડો. આશાબેન, ભારતીબેન અને વંદનાબેને પિતાની અર્થી ને કાંધ આપી, અગ્નિ સંસ્કાર કરી પિતાનું ઋણ ચુકવવા સાથે સમાજને નવો રાહ પણ ચિંધ્યો હતો.

(12:44 pm IST)