Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

પોરબંદર ખારવા જ્ઞાતિ પંચાયત મંદિરે ભૂપેન્દ્રભાઇ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત : બંદર સહિતના પ્રશ્નોની રજુઆતો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૩ : ગાંધીજયંતીએ કીર્તિમંીદરે પૂ.ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખારવા જ્ઞાતિ પંચાયત મંદિરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત ખારવા જ્ઞાતિના વાણોટ (પ્રમુખ) પવનભાઇ શિયાળ તથા ખારવા જ્ઞાતિના આગેવાનોએ કર્યું હતું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે પોરબંદર ખાતે પધારેલ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ પંચાયત મંદિર પોરબંદર ખાતે પધારેલ ત્યારે સૌ પ્રથમ ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહાપ્રભુ ના દર્શન કરી ત્યારબાદ પંચાયત મંદિર મા પધારેલ અને  ખારવા સમાજ તરફથી તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવમા આવેલ.  આ પ્રસંગે ખારવા સમાજ નો ઇતિહાસ પ્રસ્તુત કરી ખારવા સમાજ હંમેશને માટે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનતો જ રહ્યો છે, ત્યારે ખારવા સમાજ ને પ્રોત્સાહિત કરવા બદલ આનંદની લાગણી વ્યકત કરવામાં આવી.  આ પ્રસંગે ખારવા સમાજની માગણી મુજબ પાર્કિંગ માટે માપલા વાળી જગ્યાએ ૬૧ કરોડ રૃપિયા મંજુર કરેલ છે જે પૈકી ડ્રેજીંગ માટે ૨૧ કરોડ રૃપિયાના વર્ક ઓર્ડર થઈ ગયેલ છે તેમ જ માપલાવાળી વિસ્તારમાં એ કસાઇડ ૮૦૦ મીટર વાર્ક ફોલ નું ૩૭ કરોડનું ટેન્ડર ઓનલાઈન મૂકી દીધેલ છે તે પણ વહેલી તકે વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરી આપવાની ખાત્રી આપેલ છે તે બદલ મુખ્યમંત્રીશ્રી ને આભારની લાગણી વ્યકત કરવામાં આવેલ. બાકી રહેલા પ્રશ્નનો વહેલી તકે નિવારણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ.

જેના પ્રત્યુત્ત્રમાં મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક રીતે કામગીરી વહેલી તકે પૂરી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવેલ છે. જયારે મુખ્ય મંત્રીશ્રી ખારવા સમાજ ની મુલાકાતે પધારેલ ત્યારે આગામી વિધાનસભા ની ચૂંટણીમાં ખારવા સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ખારવા સમાજના ઉમેદવારને ટિકીટ ફાળવવામાં આવે તેવી લાગણી અને માગણી વ્યકત કરેલ છે, જેના પ્રત્યુત્ત્રમાં મુખ્યમંત્રીશ્રીએ ખાત્રી આપેલ કે જે લોકોએ ટિકિટની માગણી કરેલ છે તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવશે અને સર્વે સમાજ અને જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવશે આ પ્રસંગે રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી મહેશભાઈ કસવાલા, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા ઉપસ્થિત હતા.

આમંત્રીત મહેમાનોનુ ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, તથા આગેવાનોના હસ્તે સન્માન કરવામા આવેલ. અન્ય આગેવાનોમા ખારવા સમાજના પંચપટેલ/ટ્રસ્ટીઓ, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, હરજીવનભાઈ કોટીયા, દિલીપભાઈ લોઢારી, સુનિલભાઈ ગોહેલ, પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપપ્રમુખ ધર્મેશભાઈ તથા કમીટી મેમ્બરઓ, પિલાણા એસો.ના પ્રમુખ કાન્તીભાઈ લોઢારી તથા કમીટી મેમ્બરઓ, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા તથા આગેવાનશ્રીઓ, વણાકબારા ખારવા સમાજના પટેલ સંજયભાઈ લોઢારી તથા આગેવાનશ્રીઓ, નગરપાલીકા ના ઉપપ્રમુખશ્રી ભારતીબેન જુંગી, કાઉન્સીલર મનિષભાઈ શિયાળ, કિશોરભાઈ બરીદુન, તથા અન્ય કાઉન્સીલરઓ, નગરપાલીકાના પૂર્વપ્રમુખશ્રી અશોકભાઈ ભાદ્રેચા, સાગર શકિત સેવા સંધ ટ્રસ્ટના પ્રમુખ પ્રેમજીભાઈ પોસ્તરીયા તથા સભ્યો, એકસપોર્ટર એસો. ના પ્રમુખ કરશનભાઈ સલેટ તથા કમીટી મેમ્બરઓ, ફીશ સપ્લાયર એસો.ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તથા કમીટી મેમ્બરઓ, જીલ્લા ફીશરીઝ સેલ ના કન્વીનર જાદવજીભાઈ પોસ્તરીયા, બક્ષીપંચના પ્રમુખ જીતુભાઈ ભરાડા, ઉઘોગપતિઓ અને સમાજના પ્રતિષ્ઠીત વ્યકિતઓ હાજર હતા.

(1:48 pm IST)