Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગારીયાધારમાં વિજશોક લાગતા ગાયનું મોત

ગારીયાધાર તા ૩  : શહેરના બાયપાસ રોડ પર બાપા સિતારામની મઢુલી નજીક વિજપોલ સાથે બે ગાયો અને વાછડીને શોક લાગ્યો હતો, પરંતુ જાગૃત નાગરીકની સતર્કતાથી એક ગાય અને વાછડી બચાવવામાં સફળતા મળી હતી, જયારે એક ગાયનું મોત થયું હતું.

વિજશોકલાગતા ઘટના થિળે પીજીવીસીએલના કર્મચારીઓ આવી પહોચ્યાં હતા, પરંતે એ વિજપોલ તેમના દાયરામાં ન આવતો હોવાથી તેઓ જતા રહયા હતા, જયારે ન.પા.નો વિજ પોલ હોવાથી ન.પા. તંત્ર આળસ મરડીને ઘટના સ્થળે પહોચ્યું હતું.

(11:56 am IST)