Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

હસુભાઇ જોષીઃ દેશના અનેક દિગ્ગજોને ઘેલા સોમનાથ મહાદેવની આરતી કરાવી

જસદણ :.. વિખ્યાત તીર્થભૂમિ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં આમ તો લાંબા સમયથી સરકાર દ્વારા વ્યવસ્થિત સંચાલન થઇ રહ્યું છે. પણ આ યાત્રાધામમાં પુજારી તરીકે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપતાં હસુભાઇ જોષીએ દેશના અનેક મહાનુભાવોને પુજા કરાવી છે. આ ક્ષેત્રે તેમણે એક ખરા અર્થમાં રેકોર્ડ સ્થાપિત કર્યો કહી શકાય સૌરાષ્ટ્રના દેવ મંદિરોમાં થતા શણગાર વચ્ચે ઘેલા સોમનાથમાં થતાં શણગારની હજારો ભાવિકોએ નોંધ લીધી છે. જેનો શ્રેય હસુભાઇ જોષીનાં ફાળે જાય છે. ત્યારે દેશના મહાનુભાવોને પુજા કરાવવામાં તેઓ અગ્રેસર રહ્યા છે.  તસ્વીરમાં રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતનાં મહાનુભાવો પૂ. ઘેલા સોમનાથ દાદાની પૂજા કરી રહેલા દર્શાય છે. (તસ્વીર : હુસામુદીન કપાસી -જસદણ) (પ-૯)

(12:03 pm IST)