Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ભાજપની જીતની ખુશીમાં દિલ્હી પહોંચ્યા અમરેલીના ભીખુભાઇ : વડાપ્રધાન મોદીને મળ્યા ;પીએમએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી

અમરેલીથી દિલ્હી સુધી 1100 કિલોમીટર જેટલું સાયકલિંગ કર્યુ: આ સિદ્ધીને વડાપ્રધાન મોદીએ બિરદાવી

અમરેલી :કેન્દ્રમાં ભાજપ અફરી સત્તામાં આવતા અને નરેન્દ્રભાઈ મોદી ફરીથી દેશના વડાપ્રધાન બનતા  અમરેલીના ભિખુભાઈએ ભાજપની જીતની ખુશીમાં અમરેલીથી દિલ્હી સુધી 1100 કિલોમીટર જેટલું સાયકલિંગ કર્યુ છે. તેમની આ સિદ્ધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરદાવી છે. ફક્ત બિરદાવી તેટલું જ નહીં ભિખુભાઈને દિલ્હીમાં રૂબરૂ મુલાકાત આપી અને ટ્વીટર પર તેમનો આભાર પણ માન્યો છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી કે ભિખુભાઈ અમરેલીનાં વતની છે અને તેમણે નક્કી કર્યુ હતું કે જો દેશમાં ભાજપ 300+ બેઠકો સાથે જીતશે તો તે સાયકલિંગ કરી દિલ્હી આવશે. ભીખુભાઈ તેમના વચનને પાળતા દિલ્હી સુધી આવ્યા અને અનેક લોકોને પ્રેરણા આપી. હું તેમના આ કાર્યથી પ્રભાવિત થયો છું

(8:58 pm IST)