Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ધંધાના ટેન્શનને લઇ જુનાગઢના યુવાનનો આપઘાત

જુનાગઢ તા. ૩: ધંધાનાં ટેન્શનને લઇ જુનાગઢનાં એક યુવાને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અહિં ભૂતનાથ રેલ્વે ફાટક પાસે રહેતા વિજયભાઇ રવજીભાઇ ભટ્ટ (ઉ.વ. ૪પ) એ કાલે ઝેરી દવા ગટગટાવી લેતાં તેનું મૃત્યુ થયું હતું.

પોલીસ તપાસમાં મરનાર યુવકે ધંધાને ટેન્શનનાં કારણે મોતની સોડ તાણી હોવાનું જણાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)