Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ધોળકાથી કાગવડ જતા પદયાત્રીઓનું સ્વાગત કરાયું સાથે મહાઆરતી કરાઇ

ગોંડલઃ ધોળકાથી પગપાળા કાગવડ જઇ રહેલા યાત્રીઓનું ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે રિબડા પાસે આવેલ અનિરૂદ્ધસિંહજી જાડેજાની વાડીએ યાત્રાસંઘ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સત્યજીતસિંહજી જાડેજા, રાજદીપસિંહજી જાડેજા, બલવીરસિંહ ગોહિલ, દીપકભાઇ ધોણીયા, રાજકોટ વોર્ડ નં.-૪ ખોડલધામ ટ્રસ્ટના કન્વીનર વિઠ્ઠલભાઇ ઢાંકેચા, રાહુલભાઇ ગીણોયા, (રાજકોટ સીટી કન્વીનર), ભરતભાઇ અમરેલીયા, વોર્ડ નં.૬ ના કન્વીનર વર્ષાબેન રૈયાણી, સુમિતાબેન કાપડિયા (મહિલા કન્વીનર) સહિતનાઓ જોડાયા હતા અને મહા આરતી કરવામાં આવી હતી.

(11:49 am IST)