Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં બે સિંહોના મોત ;મૃત્યુઆંક 23 થયો

સારવાર દરમિયાન બ સિંહોના મોટ થતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો ;વનવિભાગ સામે ગંભીર આક્ષેપો

 

અમરેલી ગીર પંથકમાં સિંહોનો મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો છે. આજે વધુ 2 સિંહોના મોત થતા આંકડો 23 સુધી પહોંચી ગયો છે.

  જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન વધુ 2 સિંહોના મોત થઇ ગયા છે. જેના કારણે સિંહોનો મૃત્યુઆંક 23 સુધી પહોંચી ગયો છે. જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇને અમરેલીના આરટીઆઇ એક્ટિવિસ્ટ ભીખુભાઇ બાટવાળાએ વનવિભાગ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.

(11:27 pm IST)