Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ બનતા બે બાળકોની લાલપુર પાસે કુંવામાં ફેંકી હત્યા કરનાર માતા અને પ્રેમીને આજીવન કેદ

જામનગર, તા., ૩૦: જામનગર જીલ્લામાં લાલપુર નજીકના કુવામાં બે માસુમ બાળકોને ફેંકી દઇને મોતને ઘાટ ઉતારી દેનાર માતા અને પ્રેમીને જામનગર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગર જીલ્લાના લાલપુર નજીકના મુળીલા ગામમાં ર૦૧૪ના વર્ષમાં પ્રેમમાં આડખીલીરૂપ બનેલા બે માસુમ બાળકો સુજલ (ઉ.વ.પ) અને યશ (ઉ.વ.ર) ને આરોપી રમેશ નાથા કોળીના કહેવાથી તેની પ્રેમીકા શિતલ રાજકોટથી લઇને લાલપુર નજીકના કુવામાં ફેંકવા માટે આવી હતી અને બંન્ેનએ સાથે મળીને તા.૯-પ-ર૦૧૪ના રોજ બંન્ને બાળકોને જીવતા કુવામાં ફેંકી દઇને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આ બનાવ અંગે આરોપી શિતલના પતિ પ્રકાશ ભીમજી દ્વારા લાલપુરમાં ફરીયાદ કરવામાં આવી હતી અને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ આજે જામનગર કોર્ટમાં ચાલી જતા જજ ટી.વી.જોષીએ આરોપી શિતલ અને રમેશ નાથા કોળીને આજીવન કેદની સજા તથા ૧૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ મહિનાની જેલની સજાનો હુકમ કર્યો છે. સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ રાજેશ રાવલ રોકાયા હતા. (૪.૧૪)

(11:59 am IST)