Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

કાલાવડ : નિગમના મેનેજર લગારીયાને રેશનશોપ એશો. દ્વારા અપાયું વિદાયમાન

કાલાવડ તા.ર : અન્ન અને નાગરીક પુરવઠા નિગમ કાલાવડના ગોડાઉન મેનેજર શ્રી લગારીયા નિવૃત થતા જેમનો વિદાયમાન કાર્યક્રમ તપસ્વી આશ્રમ ગણેશ મંદિર ખાતે ફુલનાથ મહાદેવ મંદિરના મહંત સુંદરનાથ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કાલાવડના મામલતદાર પંડયા નાયબ મામ. ડાંગર, તાલુકા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઇ પીપળેશ્વર મંદિરના મહંત જીકાબાપુ, ગણેશ મંદિરના લાલબાપુ તેમજ વ્યાજબી ભાવના દુકાનદાર એશો.ના પ્રમુખ બદાણીભાઇ દ્વારા ગોડાઉન મેનેજર લગારીયાની સર્વિસ દરમિયાન કામગીરી અને વહીવટી સુઝથી થયેલ કાર્યોને બિરદાવી લગારીયા ભાઇને શાલ ઓઢાડી ફૂલહાર કરી સન્માન કરેલ હતુ અને નિવૃતિ બાદ તેમનું જીવન સુખમય, નિરોગી તેમજ સમાજ ઉપયોગી બને તેમ શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં વ્યાજબી ભાવના દુકાનદાર મુકેશભાઇ મહેતા, અભિષેકભાઇ, પરસોતમભાઇ, ગુણવંતભાઇ બદાણી, મહેન્દ્રસિંહ જાડેજા, હરીશભાઇ દેવાણી, રામચંદ્રભાઇ તેમજ વારાડી ટ્રાન્સપોર્ટના ગફારભાઇ બારાડી અને ગોડાઉનના કામદારોની હાજરીમાં વિદાયમાં કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જગદીશભાઇ ત્રિવેદી જહેમત ઉઠાવી હતી.(૪૫.પ)

(11:58 am IST)