Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મોરબીના લીલાપર રોડ પર યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત : યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ શરૂ

મોરબીના લીલાપર રોડ પર રહેતા વાણંદ યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે
મોરબીના લીલાપર રોડ પરની ન્યુ યદુનંદન ગૌશાળા સામે સાત હનુમાન સોસાયટીમાં રહેતા રજનીકાંત શીવાભાઈ અઘારા (ઉ.વ.૨૫) વાળા યુવાને પોતાના ઘરે આપઘાત કરી લીધો છે જે બનાવ અંગે મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતા એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે તેમજ યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

(7:02 pm IST)