Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

પડધરીમાં ચૂંટણી હારેલા મનોજ પેઢડિયાને ભાજપના મહામંત્રી પદેથી હટાવવા રજૂઆત

જિલ્લા પ્રમુખ ખાચરિયા કહે છે પેઢડિયાએ જે તે વખતે જ રાજીનામુ આપી દીધુ છેઃ નવા મહામંત્રીની નિમણૂક થશે

રાજકોટ, તા. ૨ :. પડધરી તાલુકા ભાજપના મહામંત્રી મનોજ પેઢડિયા જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયા હોવા છતાં તેમને મહામંત્રી પદે યથાવત રખાતા અને વધારામા પંચાયતની શિક્ષણ સમિતિમા સભ્ય પદે કો-ઓપ્ટ કરાતા તાલુકા ભાજપમાં તીવ્ર અસંતોષ થયો છે. કોટડાની જેમ પડધરીમાં પણ પાર્ટીના નિયમ મુજબ પેઢડિયાને બન્ને પદ પરથી હટાવવા જોઈએ તેવી રજુઆત પ્રદેશ ભાજપ સુધી થયાનુ જાણવા મળે છે. અમુક આગેવાનો લડાયક મૂડમાં છે.

દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે પેઢડિયાએ ચૂંટણી લડતી વખતે જ સંગઠનના મહામંત્રી પદેથી રાજીનામુ આપી દીધેલ. તેઓ અત્યારે મહામંત્રીના પદ પર નથી. ટૂંક સમયમાં નવા મહામંત્રીની નિમણૂક થશે. સંગઠન માટેનો નિયમ શિક્ષણ સમિતિમાં લાગુ પડતો નથી.

(1:24 pm IST)