Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ઘેર બેસી સિલાઇ કામ કે ભરતગુંથણ કરતી ૬૦ બહેનોને અનુકંપા ટ્રસ્ટ તરફથી કીટો અપાઇ

લંડન સ્થિત ભારતીબેન કંટારીયાના દિવ્ય સેવા ફાઉન્ડેશનના અનુદાનથી : અમરેલીમાં ડો.ભરત કાનાબાર અને પી.પી.સોજીત્રાનો સેવાયજ્ઞ અવિરત

અમરેલી,તા. ૨: કોરોના મહામારીના કારણે અમલમાં આવેલ લોકડાઉને અસંખ્ય કુટુંબો માટે આર્થિક વિડંબણાઓ સર્જી છે. વેપાર તથા અન્ય આર્થિક પ્રવૃત્ત્િ।ઓ થંભી જતાં તેનો અસહય માર નાનાં અને ગરીબ પરિવારો પર પડયો છે.

કોરોનાના પ્રથમ વેવમાં  લોકોની પડખે અડીખમપણે ઉભા રહેલ ડો. ભરત કાનાબાર અને પી.પી.સોજીત્રાએ બીજા વેવના પીક દરમ્યાન મફત એમ્બ્યુલન્સ સેવા અને ટીફીન સેવાના માઘ્યમથી લોકોને રાહત આપવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આવેલ ભયાનક વાવાઝોડાએ સર્જેલ તારાજીમાં ડો. કાનાબાર અને તેમની ટીમે રેડક્રોસ સોસાયટીની મદદથી રાજુલા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા તથા અમરેલીના અસરગ્રસ્ત પરિવારોમાં ઘરવખરી સાથે ૭પ૦ કીટોનું વિતરણ કર્યુ હતું. હવે જયારે કોરોનાના કેસો ઘટી ગયા છે તયારે આ બન્ને આગેવાનોએ કોરોનાના લોકડાઉનને કારણે આર્થિક મુશ્કેલી ભોગવી રહેલા પરિવારો તરફ પોતાનું ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે.

રસ્તા પર બેસી બુટ પોલીશ કે મોચીકામ કરનારા, નાનાં ચાની લારી ચલાવતાં લોકો, નાનું મોટું દરજીકામ કરતાં લોકોમાં કીટોનું વિતરણ કર્યા બાદ, ગઈકાલે ઘેર રહી નાનું મોટું સિલાઈ કામ કે સાડીના ફોલ ભરવાનું તેમજ નાનું મોટું ભરત–ગુંથણનું કામ કરી પરિવારને મદદરૂપ થતી ૬૦ બહેનોને શોધી તેમને રાશન કીટો આપી હતી.

પ વ્યકિતના પરિવારને ર૦ દીવસ ચાલે તેટલા રાશન સાથેની આ કીટોનું વિતરણ અમરેલીમાં નૃત્ય–સંગીત–નાટય કલામાં યુવાનોને પારંગત કરવાનું કાર્ય કરી રહેલ ઓરોમા ઈન્સ્ટીટયુટના સું.શ્રી સ્વાતિબેન જોષીના વરદહસ્તે કરવામાં આવેલ. આ વિતરણ કાર્યમાં આ ઉપરાંત ડો. રાજુભાઈ કથીરીયા, અજમેરા ટ્રસ્ટના રાજુભાઈ કામદાર, ચેમ્બર ઓફ કોમર્સના યોગેશભાઈ કોટેચા તથા અનુકંપા ટ્રસ્ટના વિપુલભાઈ ભટૃી, દિપકભાઈ વઘાસીયા, કમલેશભાઈ ગરાણીયા, તુલસીભાઈ મકવાણા, ચેતનભાઈ રાવળ, નયનભાઈ બેદી, જયેશભાઈ ટાંક, મધુભાઈ આજુગીયા, વિપુલભાઈ રાદડીયા સહિતના આગેવાનો જોડાયા હતા.આ કીટો માટે લંડન સ્થિત ભારતીબેન બીપીનભાઈ કંટારીયાના દિવ્ય સેવા ફાઉન્ડેશન તરફથી આર્થિક અનુદાન પ્રાપ્ત થયું હતું.

(1:21 pm IST)