Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ગોંડલ સ્મશાન ગૃહે એપ્રિલ કરતા મે મહિનામાં અગ્નિ સંસ્કારનો આંક ઘટયો : લોકોએ રાહત અનુભવી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨ : કોરોનાની બીજી લહેરના એપ્રિલ મહિનામાં મેટ્રો સીટીની માફક યમરાજા એ ગોંડલમાં પડાવ કર્યો હોય તેમ મુકતેશ્વર સ્મશાન ગૃહે ૪૨૫ અગ્નિસંસ્કારનો આંક નોંધાતા લોકો તોબા પોકારી ગયા હતા પરંતુ મેં મહિનામાં કોરોના હળવો પડતા મૃત્યુ દર પણ ઘટ્યો હોય મેં મહિનામાં ૨૯૫ એ મૈયતનો આંક અટકતા લોકો દુઃખી હૈયે રાહત અનુભવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુકતેશ્વર સ્મશાન ગૃહે એપ્રિલ મહિનાની સરખામણીમાં મેં મહિને મૈયત આવવામાં થોડી રાહત રહી હતી એપ્રિલમાં મૈયતનો આંક ૪૨૫ પહોંચ્યો હતો જયારે મેં મહિને મૈયતનો આંક ૨૯૫ એ અટકતા લોકોએ રાહત અનુભવી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. પહેલી અને બીજી લહેરે લોકોની કમર ભાંગી નાખી છે ત્યારે ત્યારે ત્રીજી લહેરની સામે ટકી રહેવા તકેદારી રાખવા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જરૂરી છે.

(12:10 pm IST)