Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ગોંડલમાં અભયસિંહ જાડેજાને ત્રણ ભાઇઓએ મારમારી ધમકી આપી

સુલતાનપુરમાં કુચા બાબતે શાંતિલાલ વસોયાને બે શખ્સોએ માર માર્યા

રાજકોટ તા. રઃ ગોંડલમાં સૈનિક સોસાયટીમાં રહેતા અભયસિંહ દાનુભા જાડેજા (ઉ.વ.૪ર) ને ત્યાં જ રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા, કિશોરસિંહ પ્રતાપસિંહ ઝાલા તથા ભગીરથસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે અભયસિંહ ઉકત ત્રણેય સામે પોલીસમાં ફરીયાદ કરતા હેડ કો. આર. ડી. ઝાલાએ ગુન્હો નોંધીતપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં તાલુકાના સુલતાનપુર ગામે રહેતા શાંતિલાલ ભીખાભાઇ વસોયા (ઉ.વ. ૬૦) ને તેજ ગામના મગલા ભુરાભાઇ મુંધવા તથા ભુરા હમીરભાઇ મુંધવાએ ગાળો આપી ઝાપટ મારી પતાવી દેવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે. ફરીયાદી શાંતિલાલે મગનો કુચો બીજાને આપવાનું નકકી કરેલ હોવા છતાં ઉકત બંન્ને શખ્સોએ કુચો મારે જોઇએ છે તેમ કરી માર માર્યો હતો. બનાવ અંગે હેડ કો. પી. બી. વાલાણીએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)