Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં જણસીની પુષ્કળ આવક

જામજોધપુર : માર્કેટીંગ યાર્ડમાં પોતાની જણસી હરરાજીમાં વહેંચવા લઇ આવવાનું શરૂ કરતા પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો દ્વારા ધાણા, મગ અને ઘઉં વહેચવા આવી રહ્યા છે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પ્રફુલભાઇ ધુળેશીયાના જણાવ્યા અનુસાર ૪ કલાકમાં જ ૧ર૦૦૦ ગુણી મગ ર૦,૦૦૦ ગુણી ધાણા તેમજ ૧૦૦૦ ગુણી ઘઉંની આવક થવા પામી છે માર્કેટીંગ યાર્ડની બન્ને દિશામાં જણસી ભરેલા વાહનનો ૩ કિલો મીટર સુધીની કતાર લાગી છે તેમજ જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસીના હરરાજીમાં સારા ભાવ મળતા હોય જેથી જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં જણસી વહેંચવા આજુબાજુના છ તાલુકામાંથી ખેડૂતો આવી રહ્યા હોય જણસીની આવક પુષ્કળ પ્રમાણમાં થઇ રહી છે.

(12:05 pm IST)