Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

દામનગર : વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા ૬૯મો નેત્રયજ્ઞ

દામનગર : વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે ૬૯મો નેત્રયજ્ઞ સ્વ.કંચનબેન પી.પંચાલની સ્મૃતિમાં યોજાયો હતો. ઉદઘાટન અમરેલીના ડો.પી.પી.પંચાલના હસ્તે કરાયુ છે. જેમાં જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઇ પાથર, સ્વામીનારાયણ ગુરૂકુળમાં મહંત હરિચરણ સ્વામી જાણીતા લોકસાહિત્યકાર પંકજ દવે અને કૌશિક દવે, લુહાર જ્ઞાતિના પ્રમુખ નટુભાઇ ડોડીયા, ખોડલધામ સમિતિના મનુભાઇ દેસાઇ, જિલ્લા ભાજપના અગ્રણી રંજનબેન ડાભી, કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઇ મહેતાએ કરેલ જયારે કેમ્પને સફળ બનાવવા હસુભાઇ ડોડીયા, વિઠલભાઇ કથીરીયા, રાજુભાઇ ધાનાણી, છગનભાઇ પટેલ, ખોડુભાઇ ધંધુકીયા, વલ્લભભાઇ પાથર વગેરેએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર, દામનગર)

(12:04 pm IST)