Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ એકનું મોતઃ ૨૮ નવા કેસ : ૪૦ દર્દીઓ કોરોનામુક્‍ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૨૨૦ કેસો પૈકી ૫૮૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨ : ભાવનગર જિલ્લામા વધુ ૨૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્‍યા ૨૧,૨૨૦ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્‍તારમાં ૮ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૧૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં તળાજા તાલુકામાં ૨, પાલીતાણા તાલુકામાં ૧, ઘોઘા તાલુકામાં ૨, સિહોર તાલુકામાં ૩, ગારીયાધાર તાલુકામાં ૧, ભાવનગર તાલુકામાં ૨, મહુવા તાલુકામાં ૩ તેમજ જેસર તાલુકામાં ૧ કેસ મળી કુલ ૧૫ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ઘોઘા ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્‍યાન અવસાન થયેલ છે.ᅠ

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્‍તારમા ૯ અને તાલુકાઓમાં ૩૧ કેસ મળી કુલ ૪૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્‍ત થતા તેને હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે.  આ દર્દીઓએ હોસ્‍પિટલામાથી ડિસ્‍ચાર્જᅠ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૨૨૦ કેસ પૈકી હાલ ૫૮૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૮૬ દર્દીઓનું અવસાન થયેલ છે.

(11:38 am IST)