Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

સુરેન્દ્રનગર અલંકાર રોડથી સી.જે.હોસ્પિટલને જોડતાં બ્રીજના નિર્માણનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા જાગૃત નાગરિકોએ રેલ્વે સ્ટેશને જઇ વિરોધ દર્શાવ્યો

વઢવાણ : સુન્દ્રનગર શહેરમાં સી.જે.હોસ્પિટલથી અલંકાર રોડને જોડતો અંડરબ્રીજના નિર્માણ કામ ચાલી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ કામ બંધ છે અંડરબ્રિજનું કામ પાલિકાના પૂર્વ પ્રમુખ બિપિનકુમાર ટોલિયા દ્વારા ચાલુ કરવામાં આવેલ ત્યારે છેલ્લા કેટલાક સમયથી અટકી પડયું છે લક્ષ્મી સિનેમા રોડ જુના જંકશન તરફથી આવતા વાહન ચાલકોને ૮૦ ફુટ રોડ ઉપર જવા માટે થઈને મોટો રાઉન્ડ ફરવો પડે છે.આ સમસ્યા હલ કરવા માટે રેલવે તંત્રના સહકારથી ગેસ્ટ હાઉસ ફુવારાથી અલંકાર બનાવવામાં આવી રહ્યો છે બીજું કામ એટલું ધીમુ છે કે ૨૦૨૨ થી વિધાનસભા ચૂંટણી પહેલા લોકાર્પણ થઈ શકશે કે કેમ તે પણ સવાલ છે બીજી તરફ જુના જકશન રોડ ઉપર ગેસ્ટ હાઉસ તરફથી વારંવાર ટ્રાફિક ચક્કાજામ થાય છે શું કામ ઝડપથી પૂરું થાય તો ટ્રાફિક ડાયવર્ટ થવાથી ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય તેમ છે તંત્ર વાહકોએ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ તેવું હાલમાં અશોકભાઈ પારેખ પ્રતીક સિંહ રાણા કમલેશભાઈ કોટેચા દ્વારા રેલ્વે મથકે જઈ અને આ બાબતનો વિરોધ પ્રદર્શન નોંધાવી અને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી છે. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:18 am IST)