Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ધ્રોલ તાલુકાના મજોઠ ગામે જંગલી જાનવરે ૫૦ ઘેટાનું મારણ કર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨ : ધ્રોલ તાલુકાના કાનાભાઈ લાખાભાઈ ઝાપડાના (ભરવાડ) વાડામાં ઘેટા પર કોઈ જંગલી જનાવરે ઘેટાઓ પર હુમલો કરતા ૫૨ ઘેટાઓ મરી ગયા હતા.

જેમાં તાલુકા મથકે જાણ કરાતા તાલુકા પંચાયત ના પ્રમુખ પોલુભા જાડેજા,તાલુકા પંચાયત સદસ્ય વિજય ભાઈ કાસુન્દ્રા, ધ્રોલ ટી.ડી ઓ. વિનોદ ભાઈ ચૌહાણ, વિસ્તરણ અધિકારી ડગરા તેમજ પશુ ડોકટર, ગામના સરપંચ - ઉપસરપંચ તેમજ તલાટી મંત્રીએ સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યું તેમજ સહાય માટે આગળની કાર્યવાહી કરવા ખાતરી આપી છે.

ટીડીઓ ચૌહાણ ટેલિફોન પર જણાવ્યુ હતું. જેની જાણ થતા ત્યાં સ્થળ પર તપાસ કરી જેમા ૫૦ ઘેટાઓનું મરણ થયાનુ પરીવારે જણાવ્યુ હતુ અને આગળ તપાસ હજુ ચાલુ છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:15 am IST)