Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મોરબીના ભક્તિનગર સર્કલ બાયપાસ ઓવરબ્રિજના સર્વિસ રોડ મામલે રજૂઆત

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ કામગીરી ચાલતી હોય ત્યારે સર્વિસ રોડ બનાવવા મામલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે
 વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે ભક્તિનગર સર્કલ પર હાલ ઓવરબ્રિજ કામગીરી ચાલે છે ઓવરબ્રિજના સર્વિસ રોડ મહત્વના છે સર્વિસ રોડ લેવલ કરવા પાકા ડામરના બનાવવા અથવા સિમેન્ટ ક્રોન્કિટ બનાવવા તેમજ પાણીનો નિકાલ થાય તે જોવું રહેશે નહીતર જો પાણીનો નિકાલ ના થાય તો ગત ચોમાસા જેવી હાલત થશે સર્વિસ રોડના કામની મુદત પૂરી થઇ ગઈ છે જેથી વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગને સંબંધિત મંત્રાલય દ્વારા જાણ કરવામાં આવે તો પ્રજાહિત કાર્ય થશે જેથી વહેલી તકે પાકા ડામર રોડની કામગીરી થાય તેવી માંગ કરી છે તેમજ રસ્તા ઉબડખાબડ છે જે લેવલ થાય તે જરૂરી છે

(10:27 pm IST)