Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રમજાન માસ નિમિત્તે રાત્રીના કોઇ દુકાનો બંધ કરાવે તો જાણ કરોઃ સંઘાર

રાજકોટ, તા.૩૦: પવિત્ર રમજાન માસમાં ખાણી પીણીની દુકાનો, બેકરીઓ, લારી ગલ્લા મોડી રાત્રી સુધી ખુલ્લી રાખવા પોલીસનો હુકમ છે. તેમ સુલેમાન સંઘાર મો.૮૧૪૦૨૮૪૮૯૪ જણાવી

એક યાદીમાં વધુમાં જણાવ્યુ છે કે, રમજાન માસનો ગુજરાત પોલીસ મહાનિર્દેશકે પોતાનું જાહેરનામુ બહાર પાડેલ છે તે અનુસાર રાજકોટ પોલીસ કમિશ્નરશ્રી તરફથી તા.૨પ/પ/૧૮ના જાહેરનામુ વર્તમાન પત્રમાં બહાર પાડેલ છે. તેની સર્વે ધંધાર્થીઓએ નોંધ લેવી અને હુકમમાં જણાવવા મુજબ કોઇપણ જાતની ટ્રાફિક અડચણ ન થાય તે રીતે અમલ કરવો તેમ છતાં કોઇ બંધ કરાવા આવે તો જાણ કરવા જણાવાયુ છે.

(4:08 pm IST)