Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરોની ગેરહાજરી પૂરાઈ

નીતિન ભારદ્વાજ, ઉદય કાનગડની ગેરહાજરી વર્તાઈઃ કોંગ્રેસના ૯ કોર્પોરેટરોની અટકાયત થતા ગેરહાજરી પૂરાઈ

રાજકોટઃ. આજના જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના મળી કુલ ૧૩ સભ્યોની ગેરહાજરી નોંધાઈ હતી. જેમા નીતિનભાઈ ભારદ્વાજ, દક્ષાબેન ભેંસાણીયા, અતુલ રાજાણી તથા માસુબેન હેરભા આ ચારેયએ અગાઉથી રજા રીપોર્ટ મુકયા હતા. જ્યારે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ રજા રીપોર્ટ વગર ગેરહાજર રહેલ અને વિપક્ષી નેતા વશરામભાઈ, ગાયત્રીબા વાઘેલા, મનસુખ કાલરીયા, જાગૃતિબેન ડાંગર, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ જાડેજા, નિર્મળભાઈ મારૂ, સંજય અજુડિયા, વિજય વાંક વગેરે કોંગી સભ્યોની પોલીસે અટકાયત કરતા તેઓની ગેરહાજરી નોંધાયેલ અને સ્નેહાબેન દવે કે જેઓ સ્ટ્રેચરમાં આવેલ પરંતુ સભાગૃહમાં નહી આવી શકતા તેઓની ગેરહાજરી પણ નોંધાઈ હતી.

 

આમ આજે કુલ ૧૩ સભ્યોની ગેરહાજરી નોંધાયેલ હતી. નોંધનીય છે કે સામાન્ય રીતે દરેક જનરલ બોર્ડમાં હાજર રહીને બોર્ડની ચર્ચામાં સક્રિય રીતે હકારાત્મક અ્ને વિકાસશીલ સૂચનો કરનારા અને જ્યારે જ્યારે બોર્ડમાં વિપક્ષ ધમાલ મચાવે ત્યારે પરિસ્થિતિ થાળે પાડનારા ભાજપના પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ અને ઉદય કાનગડની ગેરહાજરી આજે સૌને વર્તાઈ હતી.

(3:53 pm IST)