Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ડો.હિમાંશુ ઠક્કર અને ડો. કૃપા ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની હોસ્પિટલનો ૧૪માં વર્ષમાં પ્રવેશ

હોસ્પિટલ ખાતે બુધવાર તા. ૧ના રાહતદરે કાન-નાક અને બહેરાશના રોગોનો નિદાન તથા સારવાર કેમ્પ અગાઉથી નામ નોંધાવવું જરૂરી

રાજકોટ,તા.૨૯: સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની ડો.ઠક્કરની દાંત તથા કાન-નાક-ગાળાની અદ્યતન સર્જીકલ હોસ્પીટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર, ૧૩ વર્ષ પુરા કરી ૧૪ માં વર્ષ માં પ્રવેશ કરી રહી છે ત્યારે ૧ જુલાઈ ના રોજ રાહત દરે કાન,નાક તથા બહેરાશના રોગોનો નિદાન અને સારવાર કેમ્પ. વિદ્યાનગર મેઇન રોડ,૨૦ ૨-લાઇફ લાઈન, બીજે માળે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

 

ઠક્કર હોસ્પિટલ ખાતે કાન,નાક, ગળા ના સર્જન ડો. હિમાંશુ ઠક્કર કે જેઓ ૧૯ વર્ષ થી પણ વધારે સમય થી રાજકોટ ખાતે પ્રેકિટસ કરી રહ્યા છે.તેઓ આ કેમ્પમાં સેવા આપશે. જે દર્દીઓને નાકમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય,કાયમી માથું દુખવું, કાયમી શરદી રહેવી,નાક માંથી પાણી પડવું,તેમના માટે સાયનસ એન્ડોસ્કોપ અને કેમેરા દ્વારા જૂની શરદી, સાયનસ, તથા નાકના મસાનું,નાકની ત્રાસી હડકી વિ. નું નિદાન તથા તેનું નાકવાટે દૂરબીનથી ટાંકા વગરનું ઓપરેશન.નાકસુર કે જેમાં આંખમાંથી સતત પાણી નીકળતું હોય તેનું નાક વાટે દૂરબીન વડે ચેકા ટાંકા વગરનું ઓપરેશન. કાનના રોગો જે દર્દીઓને કાનમાંથી વારંવાર રસી નીકળતા હોય,કાનના પડદાના કાણાં, ,કાનની હડકીનો સડો,કાનની બહેરાશનું(ઓડિયોમેટ્રી), ચક્કર ,કાન ના તમરા વિ. નું નિદાન. તથા કાન નું ચેકા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે. અને દર્દીને માત્ર સવારથી સાંજ સુધી જ હોસ્પિટલમાં રોકાણ અને ખૂબ જ ઝડપી રિકવરી મળે છે. ખાસ કરીને નાના બાળકોની શ્વાસનળી કે અન્નનળીમાં ફસાયેલ કોઈપણ વસ્તુ દૂરબીન વડે તાત્કાલિક અને સલામત રીતે કાઢી આપવામાં ખૂબ જ નામના મેળવી ચૂકેલા ડો. હિમાંશુ ઠક્કરે અનેક જટિલ ઓપરેશનો પાર પાડ્યા છે તેની આખી એક સિરીઝ છે કે જેમાં માત્ર ૬- મહિનાના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ સ્ક્રૂ, ૧૧ મહિનાના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ સ્પ્રિંગ, ૨ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ મેટલ કેપેસીટર, ૧ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ લોખંડની ટાંકણી દૂરબીન વડે કાઢી આપી આવી જ રીતે અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડી જેવા કે, ૯ મહિનાના બાળકની અન્નનળીમાંથી મેટલની ઘૂઘરી, ૩ વર્ષના બાળકની અન્નનળીમાંથી વાંકી વડેલી લોખંડની ખીલ્લી, ૭ વર્ષના બાળકની અન્નનળીમાંથી લોહચુંબક (૨ સે.મી.), વી. દૂરબીન વડે કોઈપણ જાતના કોંપ્લિકેશન વગર ગણતરીની મિનિટોમાં જ ઓપરેશન પાર પાડી અનેક માસુમ બાળકોને નવજીવન આપ્યું છે.

ડો. ઠક્કરના અનેક આર્ટિકલો મેડિકલ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કક્ષાની જનરલોમાં પ્રસિદ્ઘ થયેલ છે. ડો. હિમાંશુ ઠક્કરને આઈ.એમ.એ. ડો. સી. એસ. ઠાકર નેશનલ અવોર્ડ અને પ્રાઈડ ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ પણ મળેલ છે.લોહાણા મહાપરીષદ દ્વારા તેમને ઇન્ટરનેશનલ બેસ્ટ રઘુવંશી વ્યવસાયિક પ્રતિભા અવોર્ડ એનાયત થયેલ છે. ડો. હિમાંશુ ઠક્કર ઇંડિયન મેડિકલ અસોશિએશન રાજકોટના ભુતપૂર્વ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે.ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ ઈએન્ટી સોસાયટી ઓફ રાજકોટ,ભૂતપૂર્વ પ્રમુખ રઘુવંશી ડોકટર અસોશિએશન રાજકોટ હાલમાં તેઓ લોહાણા મહાજન રાજકોટ ના મંત્રી છે.

તેમની સાથે ડો. મિસીસ કૃપા એચ. ઠક્કર આ હોસ્પીટલમાં દાંતના સર્જન છે કે જેઓ છેલ્લા ૧૭ વર્ષથી પણ વધારે સમયથી પ્રેકિટસ કરી રહ્યા છે.અને દાંતના અનેક રોગોની સારવારમાં તેમની માસ્ટરી છે જેવી કે ડહાપણ દાઢ જેવી કે વાંકી, ત્રાંસી, એકદમ આડી જડબામાં ફસાયેલી વી. તેઓ ગણતરીની મિનિટોમાં જ કાઢી આપે છે આ ઉપરાંત સિંગલ સિટિંગ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (RCT), દાંતના મૂડીયાની સારવાર તથા બાળકોમાં સડી ગયેલા દાંતની સારવારમાં તેઓની માસ્ટરી છે તે ઉપરાંત ફિકસ દાંત, બત્રીસી, સિરામિક દાંત, દાંતની સુંદરતા વધારવા માટે ટુથ વ્હાઈઇટનિંગ તથા પેઢાના પાયોરિયાની સારવાર આધુનિક સાધનો વડે કરી આપવામાં આવે છે. ડેન્ટલ ઈમ્પ્લાન્ટ કે જેમાં જડબામાં સ્ક્ર નાખી ફિકસ દાંત તથા જેના પર ચોકઠાં પણ બેસાડવામાં આવે છે તે સારવાર કરી આપવા માં આવે છે.નાના બાળકોની દાતની સારવાર પણ કરી આપવામાં આવે છે.આ તબક્કે કાન-નાક તથા બહેરાશના રોગો માટે રાહત દરે નિદાન તથા ખૂબ જ રાહત દરે જરૂરિયાત મંદ દર્દીઓ માટે કાન-નાક ના ઓપરેશનો કરી આપવામાં આવશે.

કેમ્પનો સમયઃ તા. ૦૧-૦૭-૨૦૨૦ બુધવાર સવારે ૧૦ થી ૧ સુધી. અગાઉથી નામ નોંધાવવું જરૂરી. કેમ્પનું સ્થળ : ડો. ઠક્કરની દાંત તથા કાન-નાક-ગળાની હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, ૨૦૨-લાઇનલાઇન બિલ્ડીંગ, બીજે માળે, રાજકોટ. નામ નોધાવવા માટે ફોન નંબર. ૦૨૮૧-૨૪૮૩૪૩૪. મો ૯૧૦૬૧ ૧૯૦૩૮.(

ડો. હિમાંશુ ઠક્કર

ડો. કૃપા ઠક્કર

(3:45 pm IST)