Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કેન્સરથી કંટાળી ઝેર પી ગયેલા પોપટપરાના પાનના ધંધાર્થી સમીરભાઇ ચાનીયાનું મોત

રાજકોટ તા. ૨૯: પોપટપરા-૧૪માં રહેતાં સમીરભાઇ દાઉદભાઇ ચાનીયા (ઉ.૪૦)એ ૨૪મીએ રાતે ત્રણેક વાગ્યે માકડ મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ પ્ર.નગર પોલીસને જાણ કરતાં એએસઆઇ કનુભાઇ માલવીયા અને પરાક્રમસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. સમીરભાઇને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. પોતે પાનની દૂકાન ચલાવતાં હતાં. કેન્સરની બિમારીથી કંટાળી આ પગલુ ભર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

(2:50 pm IST)