Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગોંડલ પંથકની સગીરાના દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ,તા.૨૯: ગોંડલ ગુંદાળા ચોકડીએ થયેલ સગીરા યુવતીનુ અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં આરોપીને જામીન મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

ગોંડલમાં ભગવતપરામાં રહેતા પરીવારની સગીરા વયની પુત્રી ઉવ.૧૫ (વર્ષ)૪ મહીનાનું ગુંદાળા ચોકડીએ આ કામનો આરોપી વિજય જેરામભાઇ ધામેચા, રહે. પીઠડીયાવાળો લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી. દબકામ કરવાના ઇરાદે ભગાડી ગયેલ છે. તેવી ફરિયાદ નોંધાયેલ છે આ ફરીયાદના અનુસંધાને તપાસનીસ અધિકારીએ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને જેલહવાલે કરેલ ત્યારબાદ આરોપીએ તેના એડવોકેટ મારફત ગોંડલ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલ અને રજુઆત કરેલ કે ભોગ બનનારે પોલીસ રૂબરૂના નિવેદનમાં જણાવેલ કે, મારે આરોપી સાથે પ્રેમ સંબંધ છે અને આરોપી મને તેડવા આવેલ નથી. હું મારી મરજીથી તેના ઘરે રહેવા ગયેલ છું અને અમો બંને એકબીજાની મરજીથી પતિ-પત્ની તરીકે સાથે રહીએ છીએ. જે રજુઆતો અને સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ઠે આરોપી જામીન પર મુકત કરેલ છે. આ કામમાં આરોપી વતી રાજકોટ અને ગોંડલના એડવોકેટ આઇ.બીે જાડેજા, રાજવિજયસિંહ જે. જાડેજા રોકાયેલા હતા.

(2:49 pm IST)