Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ગાયનેકોલોજીસ્ટ ડો. કીર્તિભાઇ પટેલના પુત્ર અને બાનલેબના મૌલેશભાઇના ભાણેજ ડો. શિવની અણધારી વિદાય

વિજયભાઇ રૂપાણી અને નિતિનભાઇ પટેલે ફોનથી પરિવારજનોને સાંત્વના પાઠવી

રાજકોટઃ માત્ર ૩૦ વર્ષ ની ઉમરે ડૉ. શિવ પટેલ (એમ એસ સર્જરી)નું ઓચિંતું કાર્ડિયાક ફેલ્યુર (હાર્ટ એટેક) થી અવસાન થયું છે. અત્યંત તેજસ્વી અને ખુબજ સરળ,  પ્રેમાળ અને મળતાવડા સ્વભાવ ધરાવતા ડો. શિવ પટેલનું ગઇકાલે શુક્રવારે વ્હેલી સવારે અણધાર્યું નિધન થયેલ છે. તપાસમાં એકસપર્ટ દ્વારા નિધનનું કારણ હાર્ટ એટેક બતાવ્યું હતું. ડૉ. શિવ પટેલ રાજકોટના ખ્યાતનામ ગાયનેકોલોગિસ્ટ ડો. કિર્તી ભાઈ પટેલના પુત્ર તથા જાણીતા ઉદ્યોગપતિ શ્રી મૌલેશ ભાઈ ઉકાણી (બાન લેબ્સ) ના ભાણેજ છે. આ ઘટનાની જાણ થતાં સમગ્ર તબીબ જગત, મિત્ર વર્તુળ તથા પટેલ સમાજમાં શોકની લાગણી છવાઈ છે. આ દુઃખદ સમાચાર સાંભળી મોટી સંખ્યા માં સ્નોહી ઓ ડૉ કીર્તિભાઈ પટેલના નિવાસ્થાને પોહોંચ્યા હતા. પરંતુ સરકારની કોવિડ ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખી સ્મશાન યાત્રા તથા અન્ય વિધિ મર્યાદિત સંખ્યા સાથે પૂર્ણ કરેલ. બેસણાની વિગત બાદમાં જાણવામાં આવશે. તેમ જાણાવાયું છે. તેમ જણાવાયું છે.

 આ દુઃખદ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલએ ફોન પર ડો. કીર્તિ ભાઈ તથા મૌલેષભાઈને વ્યકિતગત સાંત્વના આપી હતી.  ફોન નં. ૦૨૮૧- ૨૫૭૧૨૧૦, મો.૯૮૨૪૨ ૧૩૫૩૬

(1:04 pm IST)