Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

આજી-ન્યારી ડેમ અને અટલ સરોવરે સેલ્ફી ઉપર પ્રતિબંધ

જન્માષ્ટમી પર્વે લોકોની સુરક્ષા માટે પગલા લેવા અગ્નિશમન સમિતિ ચેરમેન રૂપાબેન શીલુની સૂચના

રાજકોટ, તા. ૨૮ :. શહેરમાં આવેલ આજી અને ન્યારી ડેમ ઉપર તહેવારો અને રજાના દિવસોએ ફરવા જતા લોકો ડેમ ઉપર સેલ્ફી લેવા જતી વખતે પાણીમાં પડી અને ડૂબી જવાના દુઃખદ બનાવો ભૂતકાળમાં બન્યા છે ત્યારે આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન આજી ડેમ અને ન્યારી ડેમ ઉપરાંત નવા બની રહેલ રેસકોર્ષ-૨ ના અટલ સરોવર ખાતે પણ લોકો ઉમટી પડશે. આ વખતે સેલ્ફી લેવા જતી વખતે ડૂબી જવાના બનાવોે બનવાની ભીતિ હોય કોર્પોરેશનની અગ્નિશમન સમિતિના ચેરમેન રૂપાબેન શીલુએ આજી ડેમ તથા ન્યારી ડેમ અને અટલ સરોવર ખાતે સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ લાદવા અંગે ફાયરબ્રિગેડ સહિતના વિભાગોને સૂચના આપ્યાનું તેઓએ જણાવ્યુ હતું.

(3:59 pm IST)