Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

મચ્છરો પરતૂટી પડો

ડેંગ્યુ - ચિકનગુનિયાને નાથવા 4S સ્ટ્રેટેજી યુધ્ધ ખેલો : બંછાનિધી પાની

મચ્છરોને શોધીને નાશ કરો - સ્વરક્ષણ કરો - તાત્કાલિક તબિબિ માર્ગદર્શન લ્યો - દવા છંટકાવમાં સહકાર આપો - મ્યુ. કમિશ્નરની જાહેર અપીલ

રાજકોટ તા. ૨૮ : હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગથી બચવા નાગરિકો અને રાજકોટ મહાનગરપાલિકા સાથે મળીને સતર્કતાપૂર્વક આવશ્યક પગલાં લઈને અપેક્ષિત સફળતા હાંસલ કરી શકે છે. આ માટેની '4S સ્ટ્રેટેજી' અમલમાં મુકવામાં નાગરિકો રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ આપે તેવી સૌ કોઈને જાહેર આપેલ છે તેમ, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ હેમરેજીક તાવથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં આશરે ૧૦ કરોડ લોકો બીમાર પડે છે અને ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયા અને લેટીન અમેરિકામાં આવી અસર સૌથી વધુ જોવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડેન્ગ્યુના રોગચાળા એવું અવલોકન કર્યું છે કે, મચ્છરની ઉત્પતિ મોટાભાગે સામુદાયિક ક્ષેત્રમાં વધુ જોવા મળે છે. જો અગાઉથી જ આવશ્યક અને પ્રતિકારાત્મક પગલાં લેવા માટે સૌ કોઈ સતર્ક રહે તો આ બીમારીથી બચી શકાય છે અને આ માટે  '4S સ્ટ્રેટેજી' અપનાવવી જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા તો પોતાની ભૂમિકા અને ફરજ નિષ્ઠાથી બજાવશે પરંતુ લોકોએ પણ તેમાં પોતાની જવાબદારી નિભાવવી આવશ્યક જણાય છે.

સર્ચ એન્ડ ડેસ્ટ્રોય (શોધો અને નાશ કરો)

ડેન્ગ્યુ મચ્છર ઉત્પતિ માટેના સંભવિત સ્થાનો છે ફલાવર પોટ, વાઝ, ભંગારમાં પડેલ  ટાયર, પ્લાસ્ટિક બેગ્ઝ, બોટલ, કેન, માટીના ઘડા, કપાયેલા નાળીયેર, રૂફ ગટર ડ્રેઈન, પાણીના ડ્રમ કે અન્ય વાસણો અને સાધનો કે જેમાં સ્વચ્છ અને સ્થીર પાણી રહી શકે.

આવા એક પણ સાધનમાં પાણી ભરાયેલું ના રહેવા દો. ફલાવર પોટ, પક્ષી માટેના પોટ અને ઇન્ડોર પ્લાન્ટ માટેના સાધનોમાં રહેલું પાણી દર સપ્તાહે ખાલી કરી નાંખો.

 રૂફ ગટર ડ્રેઈન સાફ રાખી ઓવર હેડ ટેન્કને ઢાંકી રાખો.

વરસાદ વરસી ગયાં બાદ એક પણ વાસણ કે સાધનમાં પાણી ભરાયેલું ના રહે તેની દરકાર રાખો.

કચરો બંધ સાધનોમાં જ એકત્ર કરો.

ઘરની આસપાસના ખાબોચિયા કે પાણીના ટાંકામાં પાણી સ્થીર રહેતું હોય છે અને ત્યાં મચ્છરની ઉત્પતિ થાય છે. આવા ખાબોચિયા કે પાણીના ટાંકામાં થોડું કેરોસીન કે ડીઝલ રેડી દો.

સેલ્ફ પ્રોટેકશન મેઝર્સ  (પોતાના રક્ષણ માટેના પગલાં)

આખી બાંયના શર્ટ અને પગ ઢાંકી રાખવા મોજા પહેરો.

ઘરના બારી દરવાજા અને બારીઓમાં ઝીણી જાળી ફીટ કરાવો.

રાત્રે સુતી વખતે મચ્છરદાની બાંધો.

મચ્છરને દુર રાખતા ક્રીમ અને અન્ય સાધનોણો ઉપયોગ પણ કરો.

વહેલી સવારે અને સાંજે સંધ્યા સમયે ડેન્ગ્યુ મચ્છર વધુ કરડતા હોઈ આ સમયે બહાર જવાનું શકય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ.

ડાર્ક અને બ્લેક (કાળા) રંગના આ  મચ્છરોને વધુ આકર્ષિત કરતા હોઈ આવા વ સ્ત્રો પહેરવાનું શકય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ.

 સીક અર્લી કન્સલ્ટેશન  (વહેલાસર તબીબી માર્ગદર્શન મેળવો)

બે દિવસ સુધી તાવ રહે તો તુર્ત જ ડોકટરનો સંપર્ક કરી તેમની સલાહને અનુસરો.

ડોકટરની સલાહ મુજબ પેરાસીટામોલ/ક્રોશીન ટેબ્લેટ લઇ શકાય.

સે 'યસ' ટુ ફોગીંગ (રોગચાળા વખતે ફોગીંગને અનુમતી આપો)

ડેન્ગ્યુનો રોગચાળો જે વિસ્તારમાં પ્રસર્યો હોય ત્યાં ફોગીંગ એકમાત્ર સલાહભર્યું પગલું છે. આવા સમયે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા નાગરિકોના ઘેર કે ઓફિસોમાં હાથ ધરવામાં આવતી ફોગીંગની કામગીરી મારે સૌ કોઈએ અનુમતી આપવી જોઈએ.

ફોગીંગ એકમાત્ર એવો ઉપાય છે જે પુખ્ત મચ્છરને મારી શકે છે. અલબત્ત પાણીમાં રહેલા મચ્છરના લાર્વાને ફોગીંગથી મારી શકાતા નથી.(૨૧.૨૫)

ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થવાના કારણો અને લક્ષણ

૧.  સફેદ ટપકાં ધરાવતા કાળા રંગના એડીસ ઈજીપ્તી માદા મચ્છરોના કરડવાથી.

૨.  સામાન્યરીતે વહેલી સવારે અને સાંજે સંધ્યા સમયે આ મચ્છર કરડે છે.

૩.  આ મચ્છર કરડવાથી ગંભીર વાઈરલ ઇન્ફેકશન થાય છે.

૪.  એક વખત મચ્છર કરડ્યા પછી વ્યકિત બે થી ત્રણ દિવસમાં માંદી પડે છે.

૫.  હાઈ ફીવર (વધુ પડતો તાવ), સ્નાયુ અને સાંધાઓમાં દુખાવો, માથાનો દુખાવો, ઝાડા-ઉલ્ટી જેવી અસરો જોવા મળે છે.

(3:30 pm IST)