Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમમાં સ્નેહ પર્વ

રાજકોટ : રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ ખાતે એક પરિવારની જેમ નિવાસ કરતા વડીલ માતા - પિતાઓને સાંકળી લઈ અને પરીષદના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન કે. જોષીપુરાની અધ્યક્ષસ્થાને સ્નેહપર્વનો મંગલમય સમારોહ યોજાયો હતો. બ્રહ્માકુમારી અંજુદીદી ઉપરાંત બ્રહ્માકુમારી રીદ્ધિદીદી તેમજ જાણીતા ફિઝીયોથેરાપીસ્ટ (હાલ લખનઉ) ડો.ચાંદની પરસાણીયા,શહેરના ખ્યાતનામ મહિલા અગ્રણી શ્રીમતી લીના શુકલ, કોષાધ્યક્ષ આશાબેન મદલાણી, પ્રફુલાબા ઝાલા તેમજ કુસુમબેન ઠાકર આ પ્રસંગે ઉપસ્થિત રહેલ. મંગલમય વાતાવરણમાં રક્ષાબંધન પર્વને અનુલક્ષીને સુમધુર આર્શીવચન સમા ગીતોની સાથે પૂ.અંજુદીદીએ ચંદનના તિલક સાથે એક એક વૃદ્ધ માતા-પિતાને રક્ષા આપેલી. સાથે સાથે સહુને ચંદનના તિલકનું મહત્વ તેમજ રક્ષાનું મહત્વ સમજાવેલ. ઉપસ્થિત તમામને આર્શીવાદ કાર્ડ તેમજ પ્રસાદનું વિતરણ થયેલ. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કુસુમબેન ભાઈશંકર ઠાકરે સંભાળેલ.

(1:59 pm IST)