Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ડો.ભીમરાવ સેન્ટરના બાળકો બૌદ્ધ ગુફાની મુલાકાતે

રાજકોટ :  આત્મન યુવા ગ્રુપ સંચાલિત ડો. ભીમરાવ એજ્યુ. સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસે ખંભાલીડા (બૌદ્ધ ગુફા) કાગવડ ખોડલધામ, પરબધામ તેમજ જૂનાગઢમાં અશોક શીલા લેખ, ઉપરકોટ, પ્યારે બાબાની બૌદ્ધ ગુફા વગેરે સ્થળોએ લઈ જવાયા હતા. સેન્ટરના વિદ્યાર્થીઓ સાથે ઠક્કરબાપા છાત્રાલયના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા. પ્રવાસ દરમિયાન ગીરનાર અશોકા શાંતિ બૌદ્ધ વિહાર - જૂનાગઢ તરફથી જમવાની તેમજ રામજીભાઈ વાણીયાએ નાસ્તાની વ્યવસ્થા કરી આપી હતી. સમગ્ર શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, નયનાબેન રાઠોડ, પથીક બગડા, શારદાબેન પરમાર, અમિતભાઈ રાઠોડ, ઈશ્વરભાઈ વાણીયા, નરેશભાઈ ચાવડા તેમજ છાત્રાલયના ગૃહપતિ મોહનભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી.(૩૭.૫)

(1:58 pm IST)