Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

યોગ સાથે ડાયાબીટીસનું સેલ્ફ મેનેજમેન્ટ

ડાયાબીટીસ મેટાબોલીક શરતોના એક જૂથનો ઉલ્લેખ કરે છે જે લાંબા સમયે હાઈ બ્લડ ગ્લુકોઝ દ્વારા વર્ગીકત થાય છે. જેના મુખ્ય બે કારણો છે. (૧) ટાઈપ ૧ ડાયાબીટીસ (ટી૧ડી) જે એક સ્વયં રોગપ્રતિકારક સ્થિતિ છે કે જેમાં સ્વાદુપિંડ ઈન્સ્યુલીન ઉત્પન્ન કરતુ નથી અને પ્રકાર ૨ (૨) ટાઈપ ૨ ડાયાબીટીસ (ટી૨ડી) જે પ્રગતિશીલ સ્થિતિ છે. જેમાં શરીર ઈન્સ્યુલીન પ્રત્યે પ્રતિરોધક બને છે અને અથવા / ધીમે ધીમે ઈન્સ્યુલીન પુરતી માત્રામાં અથવા શરીરમાં ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવે છે. ટી૧ડી અને ટી૨ડી અલગ અલગ હોવા છતાં તેઓ લાંબા ગાળાની જટીલતાઓને રોકવા - વિલંબ કરવાના પ્રયાસમાં શ્રેષ્ઠ લોહીમાં શર્કરાનું સ્તર જાળવી રાખવાનો ધ્યેય અને પડકાર ફેંકે છે. જે જીવલેણ નીવડી શકે છે. હિમોગ્લોબીનમાં છેલ્લા ૧૦ થી ૧૨ સપ્તાહમાં લોહીમાં શર્કરાના સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે અને લોહીમાં શર્કરાનું નિયંત્રણ અને ગુંચવણો જોખમના કિલનિકલ માપદંડ તરીકે ઉપયોગમાં લેવાય છે.

બ્લડ ગ્લુકોઝનાં સ્તરનું નિરીક્ષણ અને સંચાલન કરવુ તે શ્રેષ્ઠ ડાયાબીટીસ સેલ્ફ મેનેજમેન્ટનો મુખ્ય ભાગ છે. તેમાં વારંવાર રકત ગ્લુકોઝ ચેક કરવું, ઈન્સ્યુલીન અને રકત ગ્લુકોઝની દવાઓ ઘટાડીને લેવી, શારીરીક રીતે તંદુરસ્ત હોય તો તંદુરસ્ત આહાર અને વજન જાળવી રાખવા વગેરેનો સમાવેશ થાય છે. આ દૈનિક પ્રવૃતિઓ સતત જગનાત્મક, સામાજીક અને ભાવનાત્મક બોજ દ્વારા પરિણમે છે અથવા સંકળાયેલા હોઈ શકે. ડાયાબીટીસ સાથે રહેવુ અને તેની વ્યવસ્થા કરવાના સામાન્ય પરિણામ એ ડાયાબીટીસની તકલીફ છે. એટલે કે ડાયાબીટીસ સાથે જીવવુ એ નકારાત્મક ભાવનાત્મક પ્રક્રિયા છે. જે સામાન્ય લાગણીશીલ સુખાકારી સાથે સંકળાયેલ છે. એનાથી વિપરીત હાલની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ (ઉદા. પરેશાની, અસ્વસ્થતા, બેચેની) ડાયાબીટીસના સ્વ-વ્યવસ્થાપન પર નકારાત્મક અસર કરી શકે છે. આ પહેલાથી જ ભારરૂપ કાર્યને વધુ જટીલ બનાવાયુ. આમ મનોવૈજ્ઞાનિક તકલીકનું સંચાલન ડાયાબીટીસ સ્વ-વ્યવસ્થાપન અને ડાયાબીટીસ સાથે સારી રીતે જીવવાનું એ અગત્યનું પાસુ છે.

ડાયાબીટીસ સેલ્ફ મેનેજમેન્ટની જટીલતાઓના લીધે ડાયાબીટીસ મેનેજમેન્ટ અને જીવનની ગુણવતા સુધારવા માટે યોગ દ્વારા તેમાં ફાયદો મેળવી શકાય છે. જો કે ટી૧ડી અને ટી૧ડી સાથે પુખ્ત વયના લોકો માટે યોગ દ્વારા ઉપચારની વાસ્તવિક અસરો વિશે થોડું ઓછું જાણીતું છે. એક સંશોધન મુજબ ડાયાબીટીસ એ વૈશ્વિક સ્તરે લગભગ ૩.૧૧ કરોડથી વધુ લોકોને અસરકર્તા છે. ડાયાબીટીસ એ મટાબોલીક ડિસઓર્ડર છે. તેની અસરો તરીકે મેદસ્વીતા, સ્થુળતા, ચરબી વધવી, ચરબી ઘટવી, તણાવ, ચિંતા, ડિપ્રેશન વગેરે જોવા મળે છે.

ડાયાબીટીસને રોકવા માટે અને નિયંત્રીત કરવા માટે વધારે શારીરીક પ્રવૃતિ, આહારમાં યોગ્ય ફેરફાર અને ધુમ્રપાન જેવી કુટેવોને જાકારો વગેરે યોગ ઉપચારની સાથે વધારે અસરકારક નીવડે છે. આ ઉપરાંત ડાયાબીટીસના દર્દીઓ માનસિક તકલીફો, નકારાત્મક મુડ વગેરેનો ભોગ બને છે. આના માટે યોગ એક ઉપચાર તરીકે કારગત નીવડે છે.

યોગ એક પ્રાચીન પ્રથા છે. જેનો ઉદ્દભવ ભારતમાં થયો છે. વર્તમાન જીવનશૈલીમાં યોગનું નિદર્શન એ તણાવ ઘટાડવા અને છૂટછાટ લાવીને ડાયાબીટીસના નિયંત્રણમાં સહાય કરે છે. ટાઈપ ૨ ડાયાબીટીસ મેલીટસના જે લક્ષણો અવિભાજય છે તેની આડઅસરોથી મુકિત મેળવવામાં યોગનો નિયમિત અભ્યાસ મદદરૂપ બને છે.

આપણે ડાયાબીટીસના ઉપચારના ભાગરૂપે કેટલાક આસનો જોઈએ તો સેતુબંધાસન, બાલાસન, વજ્રાસન, સર્વાગાસન, હલાસન, સલભાસન, મંડુકાસન વગેરે જેવા પ્રાણાયામ અને ડીપ બ્રીધીંગ દ્વારા ડાયાબીટીસને નિયંત્રીત કરી શકાય છે. તેથી દરેક પ્રકારના યોગ સારી રીતે સંતુલિત આહાર અને પ્રાકૃતિક સારવાર સાથે કરવા જોઈએ. જે બ્લડ ગ્લુકોઝને સારી રીતે નિયંત્રીત કરે છે અને ખાસ કરીને યકૃત, પાચનતંત્ર અને સ્વાદુપિંડ માટે ફાયદાકારક આસનો ડાયાબીટીસની સારવારમાં ખૂબ જ લાભદાયી નિવડે છે.(૩૭.૩)

ડો. હર્ષા ડાંગર

મો.૯૭૨૬૩ ૮૦૮૨૦, Email:harsha80863@gmail.com

(4:09 pm IST)