Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

બે વર્ષથી મજૂરીએ ન જઇ શકતાં કંટાળીને છગનભાઇનો આપઘાત

કોળી પ્રોૈઢ સતત બિમાર રહેતા'તાઃ ગળાફાંસો ખાઇ લીધોઃ પત્નિ બહારથી આવ્યા ત્યાં પતિ લટકતા મળ્યાઃ વેલનાથ પરાના સોલંકી પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૭: લાપાસરી રોડ પર વેલનાથ સોસાયટી-૫માં રહેતાં છગનભાઇ ચનાભાઇ સોલંકી (ઉ.૫૩) નામના કોળી પ્રોૈઢે ઘરમાં લોખંડની આડીમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

છગનભાઇ બે વર્ષથી બિમાર હોઇ ઘરે જ રહેતાં હતાં. સવારે પત્નિ આશાબેન ઘરેથી બહાર પહોંચ્યા ત્યારે દરવાજો ખોલી અંદર આવતાં જ હતપ્રભ થઇ ગયા હતાં. પતિને લટકતા જોઇ પોક મુકતાં પડોશીઓ ભેગા થઇ ગયા હતાં. ૧૦૮ને જાણ કરાઇ હતી. પણ તેના ઇએમટીએ તેમને મૃત જાહેર કરતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર છગનભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોતાને શ્વાસ અને હૃદયની બિમારી હોઇ દોઢ-બે વર્ષથી કામધંધે જઇ શકતાં નહોતાં. આ કારણે કંટાળી જઇ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું. (૧૪.૧૪)

(4:00 pm IST)