Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બેભાન હાલતમાં નરેન્દ્રભાઇ, રેખાબેન અને નયનાબેનના મોત

ત્રણેયએ સિવિલ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો

રાજકોટ તા. ૨૭: મોરબી રોડ પર લક્ષમણ પાર્ક-૨માં મહાલક્ષ્મી ડેરી પાસે રહેતાં નરેન્દ્રભાઇ નામોરીભાઇ ચોૈહાણ (ઉ.૪૫) નામના માળી આધેડ માનસિક બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રી છે. લાંબા સમયથી તેઓ બિમાર હતાં. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં આર્યનગર-૫/૧૫ના ખુણે રહેતાં રેખાબેન વસંતભાઇ ભંડેરી (ઉ.૩૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બી-ડિવીઝન પીએસઆઇ એન. જે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. ત્રીજા બનાવમાં યુનિવર્સિટી રોડ કિડની હોસ્પિટલ પાછળ કૃષ્ણ સોસાયટીમાં રહેતાં નયનાબેન મહેન્દ્રભાઇ રાઠોડ (ઉ.૪૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. એએસઆઇ હરેશભાઇ રત્નોતરે જાણ કરતાં હેડકોન્સ. બી. જે. ખેરએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:56 am IST)