Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

શ્રુતપ્રજ્ઞજીની કેન્યામાં શિબિરોઃ આવતા મહિને રાજકોટમાં

રાજકોટ, તા. ૨૭ : પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ સમણ શ્રુતપ્રજ્ઞજી આગામી તા.૩૦ના કેનિયાની યાત્રા પર જઈ રહ્યા છે. તેઓ નૈરોબીમાં તા.૩ થી ૫ મે સુધી ત્રણ દિવસની શિબિરનું સંચાલન કરશે.

ઓશવાલ જૈન કોમ્યુનિટી દ્વારા આ શિબિરનું સંચાલન કરશે. તા.૧ થી ૭ મે સુધી રોકાશે. જૈન શ્રાવકનું જીવન કેવું હોય, આજના સમયમાં શ્રાવક ધર્મ કેવી રીતે પાડી શકાય આ બધા વિષયો ઉપરાંત યોગ ધ્યાન અને પ્રાણાયામનો પણ અભ્યાસ કરાવશે.

તેઓ તા.૮ના મોમ્બાસા જશે અને ત્યાં તેઓ વિવિધ સંસ્થાઓમાં આધ્યાત્મિક પ્રવચનો આપશે. બે દિવસની રિટ્રીટ પણ કરશે. ત્યાં તેઓ નકુરૂ જશે અને ત્યાં ઓશવાળ જૈન ભવનમાં ત્રણ દિવસની શિબિરનું સંચાલન કરશે. છેલ્લા ચાર મહિનામાં સમણશ્રીની આ બીજી કેનિયા યાત્રા છે. કેનિયા યાત્રા બાદ તેઓ તા.૨૪ મેના રાજકોટ પરત થશે.

(4:13 pm IST)