Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

વ્‍યાજે લીધેલા ૮ હજાર ચુકવી ન શકાતાં રિક્ષાચાલકે ફિનાઇલ પીધું

ન્‍યુ કેદારનાથના દિલીપભાઇ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: વ્‍યાજે લીધેલા નાણા સમયસર ચુકવી ન શકતાં પઠાણી ઉઘરાણી થતાં રિક્ષાચાલકે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

કોઠારીયા રોડ પર ન્‍યુ કેદારનાથ સોસાયટીમાં રહેતાં રિક્ષાચાલક દિલીપભાઇ જીવણભાઇ મકવાણા (ઉ.વ.૪૩)એ ગોંડલ રોડ ચોકડી સ્‍વાતિ પાર્ક પાસે સર્વિસ રોડ પર ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. દિલીપભાઇના કહેવા મુજબ તેને પૈસાની જરૂર પડતાં ગયા મંગળવારે બે લોકો પાસેથી વ્‍યાજે ૮૦૦૦ લીધા હતાં. આ રકમ ગુરૂવારે ચુકવવાની હતી. પરંતુ વ્‍યવસ્‍થા ન થઇ શકતાં પઠાણી ઉઘરાણી થતાં ગભરાઇને આ પગલુ ભર્યુ હતું. પોલીસે ખરેખર શું બન્‍યું? તે જાણવા તપાસ હાથ ધરી હતી.

(10:36 am IST)