Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

'રાજકોટ કા મહારાજા'ની આરતીનો લાભ લેતા પૂર્વ મેયર

 ભુદેવ સેવા સમિતિ દ્વારા દીવાનપરા બ્રહ્મપુરી વાડી ખાતે સ્થાપિત કરાયેલ 'રાજકોટ કા મહારાજા'ની મહાઆરતીનો પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય પરિવારે લીધો હતો. ડો. ક્રિષ્નાબેન ઉપાધ્યાય તેમજ અન્ય સભ્યો પણ સાથે જોડાયા હતા. સોશ્યલ ડીસ્ટન્સ જેવા સરકારી નિયમોના પાલન સાથે ઉજવાઇ રહેલ ગણેશ મહોત્સવને સફળ બનાવવા ભુદેવ સેવા સમિતિના સ્થાપક પ્રમુખ તેજસ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ નિરજભાઇ ભટ્ટ, વિશાલભાઇ ઉપાધ્યાય, ભરતભાઇ દવે, કીર્તીબેન દવે, જતીનભાઇ ભટ્ટ, મયુરભાઇ વોરા, દીલીપભાઇ જાની, પ્રશાંતભાઇ ઓઝા, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, રાજભાઇ દવે, રાજનભાઇ ત્રિવેદી, અર્જુનભાઇ શુકલ, પુજનભાઇ પંડયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:06 pm IST)