Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

'રાજકોટ કા મહારાજા' ની મહાઆરતી

દીવાનપુરી બ્રહ્મપુરીવાડી ખાતે ભુદેવ સેવા સમિતિ દ્વારા ગણેશ સ્થાપના કરી દરરોજ મહાઆરતી પૂજા કરવામાં આવી રહ્યા છે. જેમાં ત્રીજા દિવસે સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ દર્શીતભાઇ જાની, પૂર્વ પ્રમુખ અને બ્રહ્મદીપના તંત્રી જનાર્દનભાઇ આચાર્ય, બોલબાલા ટ્રસ્ટના જીજ્ઞેશ ઉપાધ્યાયના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવી હતી. શાસ્ત્રીજી જયભાઇ ત્રિવેદીએ વૈદીક મંત્રોચ્ચાર સાથે પુજાવિધિ કરાવી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ તેજશભાઇ ત્રિવેદીએ સર્વે મહેમાનોને ખેસ પહેરાવી આવકાર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નિરજભાઇ ભટ્ટ, વિશાલભાઇ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ મિતભાઇ ભટ્ટ, ભરતભાઇ દવે, મનનભાઇ ત્રિવેદી, પુજનભાઇ પંડયા, માનવભાઇ વ્યાસ, યજ્ઞેશભાઇ ભટ્ટ, રાજનભાઇ ત્રિવેદી, મયુરભાઇ વોરા, દીલીપભાઇ જાની, પ્રશાંતભાઇ ઓઝા, શીરીષભાઇ વ્યાસ, અનિલભાઇ ત્રિવેદી, સંદીપભાઇ પંડયા, વિમલભાઇ અધ્યારૂ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:05 pm IST)