Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ન્યુ ગણેશ સોસાયટીના જયાબેન ડાંગરે ખોખડદળ નદીમાં જંપલાવી જીવન ટુંકાવ્યુ

રાજકોટ,તા.૨૬ : કોઠારિયા રોડ પર રણુજા મંદીર નજીક ખોખડ દળ નદીમાં ઝંપલાવી આહીર મહિલાએ આત્મહત્યા કરી લેતા અરેઆટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ન્યુ ગણેશ સોસાયટીમાં રહેતા જયાબેન નારણભાઇ ડાંગર (ઉવ.૪૦)એ ગઇકાલે કોઠારિયા રોડ પર રણુજા મંદિર નજીક ખોખડદળ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર.વી. કડછા તથા હેડ કોન્સ. એસ.જે. બાલસરાએ તપાસ હાથધરી હતી.

મૃતક જયાબેનને સંતાનમાં એક પુત્ર છે. ગળામાં થાઇરોડની ગાંઠ હોઇ તેની  સિવિલ હોસ્પિટલમાં દવા પણ ચાલુ હતી. પરંતુ તેની પીડા સહન ન થતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. સવજીભાઇ એ તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)